Connect with us

Updates

Home Insurance  Benefits: હોમ ઈન્સ્યોરન્સના ઘણા ફાયદા છે, ચોરી થવા પર પણ મળે છે વળતર, જાણો સમગ્ર માહિતી

Published

on

Home Insurance Benefits o

Home Insurance  Benefits: પોતાનું ઘર હોય તે દરેકનું સપનું હોય છે. આવી સ્થિતિમાં ઘરની સુરક્ષા માટે ઘરનો વીમો જરૂરી છે. કુદરતી આફતોને કારણે ઘરને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ઘરનો વીમો (Home Insurance) લેવામાં આવે છે. આ અંતર્ગત ઘરને સુરક્ષિત રાખવા સિવાય બીજી ઘણી વસ્તુઓ પણ આવરી લેવામાં આવી છે. ધરતીકંપ, પૂર અને કુદરતી આફતો (Natural Disasters) ઘરને નુકસાન પહોંચાડી શકે છે. આ કિસ્સામાં, આ વીમો નુકસાનને રિકવર કરે છે.

આ સુવિધાઓ માટે, તમે હોમ ઈન્શ્યોરન્સ (Home Insurance) પણ કરાવી શકો છો અને તમારા ઘરને નુકસાન થવાના કિસ્સામાં રિકવરી કરી શકો છો. તેની સાથે ચોરી અને અન્ય નાની વસ્તુઓના નુકસાન પર પણ વીમા હેઠળ રિકવરી કરી શકાય છે. ચાલો જાણીએ કે હોમ ઈન્સ્યોરન્સના અન્ય ફાયદા શું છે.

હોમ ઈન્સ્યોરન્સ શું હોય છે

જેમ જીવન વીમો (Life Insurance) મૃત્યુ થવાના કિસ્સામાં પોલિસીધારકના પરિવારને વીમાની રકમ ચૂકવે છે, તેમ હોમ ઈન્સ્યોરન્સ પણ ઘરને થતા નુકસાનને કવર કરી લે છે. એક સારો હોમ ઈન્સ્યોરન્સ કુદરતી આફતોથી માંડીને અન્ય પ્રકારની નુકસાનને કવર કરી શકે છે. આવા વીમા પર વીમા કંપની દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારનો વીમો લઈ શકે છે. તેનો લાભ લેવા માટે રેગ્યુલર પ્રીમિયમની રકમ ભરવાની રહેશે.

હોમ ઈન્શ્યોરન્સના ફાયદા

વ્યાપક સુરક્ષા

હોમ ઈન્સ્યોરન્સ ફક્ત તમારા ઘરને જ નહીં પરંતુ ગેરેજ, હોલ, પરિસર વગેરેને પણ કવર કરી લે છે. તેની સાથે ફર્નિચર અને અન્ય ઉત્પાદનોને પણ એડ ઓન ફેસિલિટી હેઠળ આવરી લેવામાં આવી શકે છે.

કુદરતી આપત્તિ સામે કવર

કુદરતી આફતના કિસ્સામાં, તમારા ઘરને ભારે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આ વીમો સમગ્ર ઘરને સુરક્ષા આપવા માટે નાણાકીય સહાયના રૂપમાં મોટી રકમ આપી શકે છે. તેના કારણે તમારે વધુ નુકસાનનો સામનો કરવો પડશે નહીં.

આ પણ વાંચો:  ધોલેરા સ્માર્ટ સિટી શું છે, ક્યારે તૈયાર થશે?

ચોરી સામે કવર

ચોરી અને ઘરફોડ ચોરીને કારણે ઘરને થયેલા નુકસાનને આવરી લેવામાં આવે છે. કેટલીક વીમા પોલિસીઓ ઘરમાંથી ચોરાયેલી વસ્તુઓને પણ આવરી લે છે.

કેટલા પ્રકારના હોય છે હોમ ઈન્શ્યોરન્સ

આગ લાગવા પર વીમો, કુદરતી આફતોથી થતા નુકસાનને કવર માટે વીમો, ભાડૂત માટે વીમો, મકાનમાલિક માટે વીમો, વ્યાપક વીમો, ઘરની સામગ્રીના રક્ષણ માટે વીમો અને સમારકામ અથવા પુનર્નિર્માણ માટે પણ વીમો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: શું બંધ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય? જાણો શું કહે છે બેંકનો નિયમ

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending